દાન તમને ફક્ત આનંદ નથી આપતું પણ તમને દાન કરવા સાથે ટેક્સ બચાવવાની પણ તક આપે છે. 1961 ના કાયદા હેઠળ જો NGO કાયદાના તમામ નિયમોનું પાલન કરે તો ઇન્કમ ટેક્સ કલમ 80G ચેરિટેબલ ટ્રસ્ટ અને ચેરિટેબલ દાતા બંનેને ઈન્ક્મ ટેક્સ મુક્તિ આપે છે. દાતા કલમ 80G હેઠળ કપાતનો દાવો કરી શકે તે માટે, તમારે દાનની રસીદ રજૂ કરવાની જરૂર છે જેના આધારે તમે કપાતનો લાભ લઈ શકો છો. તમારે ફોર્મ 10BE પણ મેળવવું જરૂરી છે, જે અધિકૃત રિલીફ ફંડ અને NGO દ્વારા દાતાઓને આપવામાં આવે છે. આ ફોર્મ પછી અન્ય જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઇન્કમ ટેક્સ પોર્ટલ પર અપલોડ કરવું આવશ્યક છે. દાનની વિગતો કલમ 80G હેઠળ આપમેળે ભરાઈ જશે. જરૂરી ડોક્યુમેન્ટમાં સામાન્ય રીતે NGOનું નોંધણી પ્રમાણપત્ર, દાનની રસીદ વગેરેનો સમાવેશ થાય છે.