અન્નદાનમ દાન ઓનલાઈન | ગરીબ પરિવાર રાશન યોજના
  • +91-7023509999
  • +91-294 66 22 222
  • info@narayanseva.org
no-banner

ચાલો ભારતમાં ભુખમરી અને કીચણ પોષણ દૂર કરવામાં મદદ કરીએ.

અન્નદાન મહાદાન

X
Amount = INR

ખોરાક એ માનવ જરૂરિયાતોની સૌથી મૂળભૂત જરૂરિયાતો પૈકીની એક છે, પરંતુ કમનસીબે, અછત વર્ગ માટે ખોરાકની અછત પણ આજે વિશ્વની સૌથી મોટી સમસ્યાઓમાંની એક છે. આજે પણ, સમાજના વંચિત વર્ગના ઘણા લોકો છે, જેઓ એક વખતનું ભોજન પણ મેળવી શકતા નથી અને દિવસે દિવસે ખાલી પેટે સૂવાની ફરજ પડે છે. ગરીબી અને કુપોષણ હંમેશા ભારત માટે મોટી સમસ્યા રહી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને આદિવાસી પટ્ટાઓમાં. ઉપરાંત, કોવિડ-19 રોગચાળાએ પહેલાથી જ ગરીબીની રેખા નીચે જીવતા લોકો માટે વધુ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી હતી, કારણ કે તેમની પાસે તે મુશ્કેલ સમયમાં નાની-મોટી નોકરીનો આધાર પણ નહતો. Narayan Seva Sansthan હંમેશા ભૂખ્યાઓને ભોજન આપવામાં મદદ કરવા માટે સમર્પિત છે, જેમાં અન્નદાનમ ઓનલાઈન દાન અને ગરીબ પરિવાર રાશન યોજના જેવી કેટલીક સફળ પહેલો છે જે જરૂરિયાતમંદોને મદદ કરે છે, ખાસ કરીને મુશ્કેલીના સમયમાં. જયારે કોરોના વાયરસે વિશ્વને સકંજામાં લીધું ત્યારે અમે અમારી પહેલ – ગરીબ પરિવાર રાશન યોજના દ્વારા, વંચિતો માટે અન્નદાનમ માટે ઑનલાઇન દાન સ્વીકારવાનું શરૂ કર્યું.

રોગચાળાનો ખતરો ઓછો થયો અને સામાન્ય જીવન ફરી શરૂ થયું થયા પછી પણ, Narayan Seva Sansthan એ અમારા, ગરીબ પરિવાર રાશન યોજના (GPRY) અભિયાનની મદદથી સખત જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચવા માટે સતત પ્રયાસો કર્યા છે. આ અભિયાન હેઠળ, અમે અમારી સાથે સંકળાયેલા તમામ વંચિત પરિવારોને રેશનકાર્ડ પ્રદાન કર્યા છે. આ તમામ પરિવારો દર મહિનાની શરૂઆતમાં મફત ખાદ્યપદાર્થો, રાશન અને કરિયાણાની કીટ મેળવવા માટે આ રેશન કાર્ડનો ઉપયોગ કરી શકે છે.

આજે પણ, એવા ઘણા પરિવારો છે જેમને મુશ્કેલ સમયમાં તમારી મદદની જરૂર છે અને અમે સમગ્ર ભારતમાં આવા વધુને વધુ પરિવારોને મદદ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. ગરીબ પરિવાર રાશન યોજના “અન્નદાન – મહાદાન” ના મુખ્ય ઉદ્દેશ્ય સાથે, વંચિત પરિવારોને ઘઉંનો લોટ, કઠોળ, રાંધણ તેલ, મસાલા વગેરે જેવા ખોરાકનો પુરવઠો પૂરો પાડે છે. પ્રત્યેક પરિવારને માસિક પુરવઠો પૂરો પાડવામાં આવે છે જેથી તેમના પરિવારમાં કોઈને ભૂખ્યું સૂવું ના પડે. અત્યાર સુધીમાં અમે આખા દેશમાં ઘણાં બધાં રાશન કીટનું વિતરણ કર્યું છે. તમારે કોઈ અજાણ્યા “મારી નજીક અન્ન દાન” માટે ઓનલાઈન શોધ કરવાની જરૂર નથી, કારણ કે Narayana Seva Sansthan એ તમારા માટે ભોજનનું દાન અથવા ઓનલાઈન અન્નદાનમ દાન કરવાનું અત્યંત સરળ બનાવ્યું છે જ્યાં તમે વિશ્વાસ કરી શકો છો કે તે યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચશે. ભોજન માટે દાન આપવું અથવા ગરીબ અને જરૂરિયાતમંદો માટે  Narayana Seva Sansthan સાથે મળીને ગરીબ પરિવાર યોજનાને સપોર્ટ આપવો એ એક સૌથી ઉમદા કાર્ય છે જે તમે સમાજને ઋણ પાછું ચૂકવવા માટે કરી શકો છો.

જરૂરિયાતમંદ પરિવારને ભોજન પૂરું પાડવા આજે જ દાન કરો

તમારું માત્ર રૂ. 2000/- નાનું દાન એક પરિવારને આખા મહિના માટે ભોજન પૂરું પડી શકે છે અને તેમને આ ક્રૂર દુનિયામાં બચવાની તક આપવામાં મદદ કરી શકે છે. સમાજમાં હકારાત્મક અસર લાવવા માટે NSS તરફથી અન્નદાનમ દાન અથવા ગરીબ પરિવાર યોજનામાં નાની રકમનું યોગદાન આપો.

મીડિયા કવરેજ

-

-

-

-

-

-

-

-

છબી ગેલેરી
ભોજનનું દાન કરો, જીવન બદલો

કોવિડ-19 રોગચાળાએ જીવનને સ્થગિત કર્યું તે પહેલાંથી જ, ભૂખમરો અને કુપોષણ એ નોંધપાત્ર મુદ્દાઓ રહ્યા છે જેને લગભગ દરેક NGO અને ચેરિટી સંસ્થા વર્ષોથી નાબૂદ કરવા માટે સતત કાર્યશીલ છે. એક સરળ “મારા નજીક અન્ન દાન” ની ઓનલાઇન શોધ તમને દર્શાવશે કે ભૂખ સામે લડવામાં મદદ કરવા માટે કેટલી પહેલ અને ભંડોળ ઊભુ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. NGO ઘણા કાર્યક્રમો, પહેલો અને ખોરાક માટે દાનની ઝુંબેશ દ્વારા નિયમિત ધોરણે નોંધપાત્ર સંખ્યામાં લોકોને ભોજનનું દાન કરતી હોવા છતાં, વંચિત વસ્તીનો એક મોટો હિસ્સો હજુ પણ દિવસમાં એક ટંકના ભોજન માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે. ઘણા પરિવારોમાં ખોરાક જેવા મૂળભૂત અધિકારોનો અભાવ છે અને ઘણા લોકો હજુ પણ રાત્રે ખાલી પેટે સુવે છે. ભૂખ્યાને ભોજન આપવું એ સૌથી ઉમદા કાર્યમાંથી એક છે જેને તમે તમારા દાન વડે સપોર્ટ કરી શકો છો અને સમગ્ર સમાજના વિકાસ અને સુધારણામાં મદદ કરી શકો છો.

“મારી નજીકના અન્નદાન” માટે NGO શોધી રહ્યાં છો?

જરૂરિયાતમંદ પરિવારો માટે ભોજનની જોગવાઈ માટેનું દરેક દાન, ભલે તે નાનું હોય કે મોટું, અમારા ઉદ્દેશ્યને આગળ વધારવામાં ખુબ મદદરૂપ થાય છે. મોટાભાગના લોકો માટે, ખોરાકનું દાન કરવું એ બહુ મોટી વાત નહીં હોય, પરંતુ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના ગરીબ પરિવારો કે જેમની પાસે સૌથી પ્રાથમિક જરૂરિયાતો પણ ઉપલબ્ધ નથી, તેમના માટે ખોરાક મેળવવો એ એક મહાન વરદાન છે. જ્યારે તમે ગરીબોને ભોજન આપો છો, ત્યારે તમારી રીતે, તમે સમાજ અને દેશની સુધારણા માટે પરિવર્તનનો મહત્વપૂર્ણ ભાગ બનો છો. સૌથી સારી વાત એ છે કે તમારે “મારી નજીકના અન્નના દાન માટે NGO” શોધવાની જરૂર નથી અને જે નામો જોવા મળે તેમથી કોઈએક તો સંપર્ક કરવા માટે સરળ હશે તેવો ચાન્સ લેવાની જરૂર નથી. તમે Narayan Seva Sansthan માં અન્નદાનમ ઓનલાઈન દાન કરી શકો છો. Narayan Seva Sansthan ની ગરીબ પરિવાર યોજના એ ગરીબોને ભોજન આપવું, વંચિત પૃષ્ઠભૂમિમાંથી આવતા દિવ્યાંગોને મફતમાં સુધારાત્મક સર્જરીઓ તથા સહાય અને ઉપકરણો પ્રદાન કરવા, દિવ્યાંગોને પણ તેમનો એક ખાસ દિવસ મળે તે માટે સામૂહિક લગ્ન સમારોહનું આયોજન કરવું વગેરે જેવી ઉમદા પહેલ દ્વારા સમાજની સુધારણા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. ગરીબ પરિવાર રાશન યોજના હેઠળ ખોરાક માટે તમારું દાન અનેક જીવન બદલી શકે છે, કારણકે છેવટે, અન્નદાન એ જ મહાદાન!